શ્રી મહારાણીજીના પાન

શ્રી મહારાણીજીના પાન

શ્રી મહારાણીજીના પાન કરને તું પ્રાણી રે
એ છે અધમ ઓધારણ જાણી … શ્રી મહારાણીજીના પાન
એમનું મહાત્મ્ય છે પદમ પુરાણે રે,
પૃથ્વી પરથી વરાહજી વખાણે રે
એ તો વ્રજવાસી સુખ માણે … શ્રી મહારાણીજીના પાન
સુંદર મથુરાજી નિકટ બિરાજે રે,
મંદ મંદ મહાધ્વની ગાજે રે
એમના દર્શનથી દુઃખ ભાંગે … શ્રી મહારાણીજીના પાન
વિશ્રામ ઘાટે તે આરતી થયે રે,
સામા પ્રભુજીના મુગટ બિરાજે રે
ચોબા હાથીની ગર્જના એ આવે … શ્રી મહારાણીજીના પાન
ત્યાં તો વૈષ્ણવનો ભોજ ભરાયે રે,
ત્યાં તો આરતી ધોળ ગવાયે રે
ત્યાં તો જાય જાય શબ્દ ઉછરે … શ્રી મહારાણીજીના પાન
એમના સ્મરણથી સુખ થાયે રે
સહુના પ્રાયશ્ચિત દુર થયે રે
જે કોઈ પયપાન કરી શ્રી જમુનાજીના કરશે રે,
તેને યમ કિંકર ભય ટળશે રે
કહે છે રસિક રાધા વરને વરશે રે … શ્રી મહારાણીજીના પાન

Leave a comment

Feedback

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Create a free website or blog at WordPress.com.