નિરોધલક્ષણ

निरोधलक्षणः

यच्च दुःखं यशोदाया नन्दादीनां च गोकुले |
गोपिकानां तु यदुःखं स्यान्मम क्वचित् ||१||

गोकुले गोपिकानां तु सर्वेषां व्रजवासिनाम |
यत्सुखं समभुत्तन्मे भगवान् किं विधास्यति ||२||

उद्ध्वागमने जात उत्सवः सुमहान् यथा |
वृन्दावने गोकुले वा तथा मे मनसि क्वचित् ||३||

महतां कृपया यावद्भगवान दययिष्यति |
तावदानन्दसन्दोहः कीर्त्यमानः सुखाय हि ||४||

महतां कृपया यद्वत् कीर्तनं सुखदं सदा |
न तथा लौकिकानां तु स्निग्धभोजनरुक्षवत् ||५||

गुणगाने सुखावाप्तिर्गोविन्दस्य प्रजायते |
यथातथा शुकादीनां नैवात्मनि कुतोन्यतः ||६||

क्लिष्यमानाज्जनान्दृष्ट्वा कृपायुक्तो यदा भवेत् |
तदा सर्वं सदानन्दं हृदिस्थं निर्गतं बहिः ||७||

सर्वानन्दमयस्यापि कृपानन्दः सुदुर्लभः |
हृद्गतः स्वगुणान श्रुत्वा पूर्णः प्लावयते जनान् ||८||

तस्मात् सर्वं परित्यज्य निरुद्धैः सर्वदा गुणाः |
सदानन्दपरैर्गेयाः सच्चिदानन्दता ततः ||९||

अहं निरुद्धो रोधेन निरोधपदवीं गतः |
निरुद्धानां तु रोधाय निरोधं वर्णयामि ते ||१०||

हरिणा ये विनिर्मुक्तास्ते मग्ना भवसागरे |
ये निरुद्धास्त एवात्र मोदमायान्त्यहर्निशम् ||११||

गुणेष्वाविष्टचित्तानां सर्वदा मुरवैरिणः |
संसारविरहक्लेशौ न स्यातां हरिवत्सुखं ||१२||

तदा भवद्दयालुत्वमन्यथा क्रूरता मता |
बाधशङ्कापि नास्यत्र तदध्यासोपि सिद्धयति ||१३||

संसारावेशदुष्टानामिन्द्रियाणां हिताय वै |
कृष्णस्य सर्ववस्तूनि भूम्न ईशस्य योजयेत् ||१४||

भगवद्धर्मसामर्थ्याद्विरागो विषये स्थिरः |
गुणैर्हरेः सुखस्पर्शान्न दुःखं भाति कर्हिचित् ||१५||

एवं ज्ञात्वा ज्ञानमार्गादुत्कर्षं गुणवर्णने |
अमत्सरैरलुब्धैश्च वर्णनीयाः सदा गुणाः ||१६||

हरिर्मुर्तिः सदा ध्येया संकल्पादपि तत्र हि |
दर्शनं स्पर्शनं स्पष्टं तथा कृतिगती सदा ||१७||

श्रवणं कीर्तनं स्पष्टं पुत्रे कृष्णप्रिये रतिः |
पायोर्मलाङ्शत्यागेन शेषभागं तनौ नयेत् ||१८||

यस्य वा भगवत्कार्यं यदा स्पष्टं न दृश्यते |
तदा विनिग्रहस्तस्य कर्तव्य इति निश्चयः ||१९||

नातः परतरो मन्त्रो नातः परतरः स्तवः |
नातः परतरा विद्या तीर्थं नातः परात्परम् ||२०||

Gujarati Samshloki Anuvad નિરોધલક્ષણ

જેહ દુઃખ યશોદાને નન્દાદિને જ ગોકુલે,
ગોપીઓનેય જે દુઃખ દુઃખ તે હો મને કવચિત .૧|

ગોકુલે ગોપીઓએ ને સર્વે યે વ્રજવાસીએ
માણ્યું જે સુખ, તે ક્યારે મનેયે આપશો હરિ ?૨|

ઉદ્ધવજી આવ્યે જેવો વૃન્દાવને જ ગોકુલે,
મહોત્સવ થયો, તેવો હો મારા મનમાં કવચિત .૩|

મોટાની કૃપાથી પ્રભુ દયા કરે જ ત્યાં સુધી,
હરિ-આનંદના ઓઘ કીર્તનનું સુખ આપશે .૪|

મોટેરાંની કૃપાથી જે દે નિત્યે સુખ કીર્તન,
ન તેવું લોકિકોનું યે, ઘીનું ભોજન લુખ્ખું-શું .૫|

ગોવિંદના ગુણગાને સુખના ઓઘ જે ફૂટે,
ન શુકાદિય તે પામે આત્મજ્ઞાને; બીજેથી ક્યાં?૬|

કલેશવંતા જનો પેખી કૃપાથી જ્યાહરે દ્રવે,
ત્યાહરે પૂર્ણ સદાનંદ હૃદવાસી બ્હાર નીસરે .૭|

સર્વાનંદમયીનો યે કૃપાનંદ સુદુર્લભ;
ભીંજવે જનને પૂરા હૈયે રહે સ્વગુણો સુણી .૮|

તે માટે સૌ પરિત્યાગી સદાનંદે ડૂબી સદા
નિરુદ્ધોએ ગુણો ગાવા, સત-ચિત-આનંદ તે થકી .૯|

હું નિરુદ્ધ છું; ને રોધે નિરોધપદ પામિયો;
નિરુદ્ધોના રોધ અર્થે નિરોધ વર્ણવું હવે .૧૦|

હરિએ જેહને છાંડ્યા, ડૂબ્યા તે ભવસાગરે;
નિરુદ્ધો જે, તે જ આમાં મોદ માણે અહર્નિશ .૧૧|

મુરારિના ગુણે નિત્ય પ્રોવાયું ચિત્ત, તેહને
સંસારવિર્હના કલેશો નથી; છે હરિ-શાં સુખ .૧૨|

એમ દયાળુતા આવે, અન્યથા માની ક્રૂરતા;
બાધ શંકાય ના આમાં, તેની ઝાંખીય સાંપડે .૧૩|

સંસારવાયુથી દોષી ઇન્દ્રિયોને હિતાર્થ તો
ભૂમન શ્રીકૃષ્ણ પ્રભુને વસ્તુઓ સૌ સમર્પવી .૧૪|

વૈરાગ્ય વિષયે જામે ભગવદ્ધર્મના બળે;
કીર્તને હરિસુખ લાઘ્યે ન લાઘે દુઃખ, ના કદી .૧૫|

એમ જાણી ગુણગાન અધિકું જ્ઞાન માર્ગથી,
લોભ-મત્સર છાંડીને સદા ગાવા હરિગુણો .૧૬|

ધ્યાવી સદા હરિમૂર્તિ, સંકલ્પથીય તેહના
દર્શને સ્પર્શને સ્પષ્ટ, તેમ કૃતિગતી સદા;૧૭|

ચોખ્ખાં શ્રવણ કીર્તન, કામે કૃષ્ણપ્રિયે રમે;
મળના ત્યાગથી દેહે ગૌણ ભાવ કરાવવો .૧૮|

જે ઇન્દ્રિય હરિકાર્યે ન દર્શે સ્પષ્ટ વર્તતી,
તેનો વિનિગ્રહ ત્યારે કરવો, એ જ નિશ્ચય .૧૯|

ન આથી અધિકો મંત્ર, ન આથી મોટું સ્તોત્ર કો;
ન આથી વધુ કો વિદ્યા, ન તીર્થે આથી કો વડું .૨૦|

Leave a comment

Feedback

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Blog at WordPress.com.